Agniveer SSR Recruitment 2022 ઇન્ડિયન નેવીમાં ધોરણ 12 પાસ યુવાનો માટે અગ્નિવીર એસએસઆરની 2800 ખાલી જગ્યાની ભરતી માટે 15 જુલાઈથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.અગ્નિપથ યોજના અંતર્ગત નેવીમાં અગ્નિવીર સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR) ભરતીમાં 22 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
Agniveer SSR Recruitment 2022 શૈક્ષણિક યોગ્યતા
- અગ્નિવીર એસએસઆર માટે ધોરણ 12 પાસ ઉમેદવારોને લેવાશે. માત્ર સાયન્સ સ્ટ્રીમમાંથી પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
વય મર્યાદા:
- ઉમેદવારની ઉંમર 17થી 21 વર્ષ વચ્ચે હોવી જરૂરી. ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર, 1999 થી 30 એપ્રિલ, 2005 વચ્ચે થયો હોવો જોઈએ. જોકે પહેલી બેચમાં ઉમેદવારોને બે વર્ષની છૂટછાટ અપાશે. એટલે કે આ વખતે 23 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
સેલરી:
- પસંદગી પામનારા ઉમેદવારને દર મહિને રૂ. 30 હજાર સુધી સેલ૨ી અપાશે.
Agniveer SSR Recruitment 2022 પસંદગી પ્રક્રિયાઃ
- પસંદગી ધોરણ 12માં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ફિઝિકલ ટેસ્ટમાં 1.6 કિમી રનિંગ 6 મિનિટ 30 સેકન્ડમાં પૂરી ક૨વાની રહેશે. 20 ઊઠકબેઠક અને 12 પુશઅપ કરવાનાં રહેશે,
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
Agniveer SSR Recruitment 2022 આ રીતે અરજી કરોઃ
- ઇચ્છુક ઉમેદવાર નેવીની વેબસાઇટ joinindiannavy.gov.in ૫૨ જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન અરજી ફોર્મ ભરી શકે છે.

